Mukesh Patel Health Immunity Natural Science

Mukesh Patel Health Immunity Natural Science Naturopath Consultant; with Ayurveda. TV shows, Health Programs,

Founder: (Since 1994) Nihar Aarogya Mandir, 7, Samadhan soc., Ranip, Ahmedabad.
(3)

Editor: Anupan Health Magazine. APPOINTMENT(ફોન ઉપર કે રુબરુ એપોઈન્ટમેન્ટ માટે)*:
7874744676, 9913230263. Established in 1994. For several years, many patients have availed naturopathy treatment free of cost.Initially started at Bakarsha’s Wadi at Pirana, Ahmedabad. Then at Swaminarayan Mandir, Ahmedabad. Here also a large number of patients took naturopathy consultations and treatment. In 199

4 itself, at Sabarmati Jail, Ahmedabad, imparted Habits, Diet & Yoga training in an innovative and easy way to a batch of forty prisoners for three months while they were serving life sentence.In 2000, a centre for free naturopathy treatment was run at Preksha Vishwa Bharati Kendra ( a Jain institution) for some time where a large number of patients had benefited.From July 2011 to December 2011, several villages in Kapadwanj Taluka were provided free treatment through Nihar Charitable Trust. Be it Nihar Arogya Mandir or Nihar Charitable Trust, non affording patients have always received free treatment ( or have paid a lower fee) and this shall continue in future also.For first two years, the treatment was provided almost at free of cost level. But free treatment has its dangers. It is die-hard human nature that free services are never taken seriously and some people even make fun of it. So, some practical re-packaging was called for.As the human nature is, the new packaging was accepted quickly and seems to work far better.Several booklets published by Nihar have been freely distributed ( rather than being sold) and this has made it possible for the booklets and ANUPAN to reach more than 5,00,000 Gujarati readers.For past one year, every day morning for ten minutes , about 30,00,000 TV viewers in Gujarat, tune in to GTPL Movie Channel and are able to benefit from the naturopathy talks by Mukesh Patel.

.....હું અને તમે એટલે ગટરનાં ચમકતા ઢાંકણાઓ.એકબીજાને જોઈને  રાજી રાજી, એમાંય, જો ઢાંકણને સારી ભાષા, સારા કપડાં અને મેકઅપથ...
07/06/2026

.....હું અને તમે એટલે ગટરનાં ચમકતા ઢાંકણાઓ.
એકબીજાને જોઈને રાજી રાજી, એમાંય, જો ઢાંકણને સારી ભાષા, સારા કપડાં અને મેકઅપથી શણગારવામાં આવે એટલે તો ભાઈ ભાઈ..!, આપણે તો રાજીના રેડ. વાહ, શું ઢાંકણ છે..!
પણ, જેવું ઢાંકણ ખૂલે કે અંદર તો ગંધ, દુર્ગંધ અને સદીઓથી જામેલી ગંદકી, કાદવ, ઇર્ષા, બળતરા, અભિમાન, આગળ નીકળી જવાની, ભાવના, હું અને મારું. ... ...
આનો ઉપાય? છે, પાક્કો ઉપાય છે. "મન" નામનાં શેતાન સાથે લડીને સવારે એક કલાક ઊંડા શ્વાસ, પ્રાણાયામ અને ધ્યાનથી શરૂઆત કરાય. આ પહેલું પગથિયું જ અતિ મુશ્કેલ છે. સદીઓની આળસ, કંટાળો અને થાક. સૌથી વધુ થાક વિચારોનો હોય છે.
પરંતુ, એક વાર મનનું ઢાંકણ ખોલશો પછી, આપણાં સૌની અંદર રહેલી આત્માની શક્તિ બહાર આવવા માંડશે. જ્યારે સમય મળે ત્યારે; સવારે, સાંજે, રાત્રે સૂતા અગાઉ કે ઊંઘ ઊડી જાય ત્યારે પણ ધ્યાન અને પ્રાણાયામથી આ મન નામનું ઢાંકણ ખોલી અને સફાઈ શરૂ કરી શકાય છે. સફાઈ પણ થાય છે અને અંદર ઊંડાણમાં રહેલ શક્તિનો ખજાનો બહાર આવવા માંડે છે.
દોસ્તો, અહીં મારો અંગત અનુભવ જ આપને આપતો રહું છું. વહેલા ઊઠવું અઘરું છે. અને એનાથી અઘરું એ "મન"ને બાજુમાં રાખી અને પ્રાણાયામ તેમ જ ધ્યાન કરવા એ છે. પરંતુ, સતત પ્રયત્નથી તમે શક્તિનો ખજાનો ચોક્કસ મેળવશો. એકવાર થોડાક દિવસો સુધી આ કરશો એટલે ધીરે ધીરે તમારા જીવનમાંથી "આળસ" અને "થાક" ઘટતા જશે. આ બે જાય એટલે એની પાછળ પાછળ ઘણીબધી ગંદકી પણ ઓછી થતી જશે. વાંચવા બદલ આભાર, મુકેશ પટેલ, અપોઈન્ટમેન્ટ માટે: ,7874744676///9913230263, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.

06/06/2026

જે કોઈ બીમારી જ નથી એની દવાઓ કેમ લીધા કરવાની?

.....આખું બ્રહ્માંડ કૃપા વરસાવતું હોય તો એનો મતલબ કે કંઈક જોરદાર શક્તિ છે, સિસ્ટમ છે જે આપણી યાદ, ફરિયાદ અને પ્રેમની વાત...
05/06/2026

.....આખું બ્રહ્માંડ કૃપા વરસાવતું હોય તો એનો મતલબ કે કંઈક જોરદાર શક્તિ છે, સિસ્ટમ છે જે આપણી યાદ, ફરિયાદ અને પ્રેમની વાતો સાંભળે છે, સમજે છે. અને, બિનસરકારી રીતે, કોઈ જ ભ્રષ્ટાચાર કે લાગવગ વગર, દરેકનો અતિ ઝડપી ઉકેલ લાવે છે. એક જ શરત છે; અભિમાન બાજુમાં મૂકી અને, જેવા છો એવા જ એની કોર્ટમાં રજૂ થઈ જાઓ.
અને ધારો કે એની કોર્ટમાં રજૂ ન થાવ તો..!? આપણી ઊંઘ, ભૂખ, ભય અને ઇમ્યુનિટી-જાતીય શક્તિનો કાબુ એના હાથમાં છે. પૃથ્વી ઉપર ભલે કોઈ વ્યક્તિ મોટામાં મોટા રાજનેતા, જજ કે ગુનેગાર હોય; બ્રહ્માંડની પરમશક્તિ આગળ આ બધી ભ્રમિત અને થોડા દિવસો માટે ટકનારી શક્તિઓ બહુ નાની પડે છે. કુદરત આવા લોકોને શાંતિથી ઊંઘવા, ખાવા અને જીવવા નથી દેતી. જો ખાઈ ન શકાય તો પચશે નહિ. અને, ઊંઘી ન શકાય તો જાતીય શક્તિ અને સારી ઇમ્યુનિટી એમની પાસે નહિ રહે.
દોસ્તો, આપણે ક્યાંય પણ જઈએ કે કોઈને પણ મળીએ તો દરેક વ્યક્તિ અને જગ્યાનાં વાઇબ્રેશન્સ હોય છે જેનાથી આપણને એ વ્યક્તિ સાથે વાત કરવાનું ગમે કે એ જગ્યા ઉપર થોડી વાર રહેવાનું ગમે. વ્યક્તિનો આત્મા ઉજળો થતો જાય એમ એમ એની આસપાસનું સૂક્ષ્મ શરીર, એની ઓરા બદલાવા લાગે છે. જે ધાર્મિક સ્થાનોમાં કે બીજી જગ્યા ઉપર, દૂરથી જ હૃદયમાં ઠંડક થાય તો ત્યાં મંત્રોની, લોકોના આશીર્વાદની પ્રબળ શક્તિ હોય છે.
1994 માં સેન્ટ્રલ જેલ, અમદાવાદની ફાંસી ખોલીમાં થોડીક જ વાર ઉભો રહેલો. કદાચ, 1965 પછી ત્યાં કોઈને ફાંસી નથી અપાઈ. તોય, એ જગ્યા પરના વાઇબ્રેશન બહુ જ ભારે હતા. આવો જ અનુભવ એક જાણીતા ગુનેગારના આગ્રહથી એમને ઘેર ગયેલો ત્યારે થયેલો. એમના ઘરથી થોડાક ફૂટ દૂરથી જ ગનમેન ગોઠવાયેલા હતા. પરંતુ, દૂરથી જ એમના ઘરના વાઇબ્રેશન્સ ખૂબ ભારેખમ. અને, ત્રીજો અનુભવ એક મીડિયા સાથે જોડાયેલ જાણીતી વ્યક્તિને ઘેર થયેલો જ્યાં ખૂબ ખરાબ વાઇબ્રેશન્સ હતા. ત્રણેય જગ્યાએ પોતે કરેલા ગુનાઓનો સૂક્ષ્મ બદલો બ્રહ્માંડ તરફથી સતત પાછો આવી રહ્યો હતો. વાંચવા બદલ આભાર, મુકેશ પટેલ, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.

04/06/2026

આ કેવું..!? વજન બહું ન વધે પણ શરીર ફૂલી જાય.

.....શરીર એક કરંટથી ચાલે છે. બાકી તો આ શરીર એક બંધ મશીન જેવું જ જડ છે. મગજમાં પેદા થતાં કરંટ કે ગટની ઘણીબધી શક્તિ વિચારવ...
03/06/2026

.....શરીર એક કરંટથી ચાલે છે. બાકી તો આ શરીર એક બંધ મશીન જેવું જ જડ છે. મગજમાં પેદા થતાં કરંટ કે ગટની ઘણીબધી શક્તિ વિચારવામાં વપરાય છે. "ગઈકાલનો અફસોસ" અને "આવતીકાલનાં સ્વપ્નાઓ"માં ખૂબ gut વપરાય છે. રાત્રે ઊંડી અને સારી ઊંઘ આવે તો આ gut કે મનની શક્તિથી, સવારથી સાંજ સુધી આપણે મજા અને મસ્તીથી બધાં કામ કરી શકીએ છીએ.
સૂતી વખતે કોર્ટિસોલ નામનો હોર્મોન શાંત થાય તો ઊંડી ઊંઘ આવી શકે છે. પણ, ફૉનમાં જે ઉત્તેજક માહિતી પિરસવામાં આવે છે એ કોર્ટીસોલનું સિક્રિશન, સ્ત્રાવ વધારે છે. એટલે રાતભર ઊંઘમાં મન ચારે તરફ દોડ્યા કરે છે. "આંખો નામનાં ઢાંકણ ભલે બંધ હોય પરંતુ મગજ નામની ફેક્ટરી ઊંઘમાં ચાલુ જ રહે છે..!"
બાકી હતું તો સવારે જાગીને તરત, પેટની સફાઈને બદલે હાથમાં પકડી લીધો ફૉન. એને બદલે, સવારે બ્રશ કરી એક ગ્લાસ નવશેકું પાણી પીવાનું. અને, દાઢી નીચે હળવેથી અંગૂઠો દબાવતા દબાવતા પાંચથી દસ મિનિટ ધીમે ધીમે ચાલવાનું. આમ કરવાથી થોડા જ દિવસમાં સારી રીતે પેટ સાફ થતું થઈ જશે. અને, મા સરસ્વતીને, પુસ્તકોને તમારા સૂવાના રૂમમાં લઈ જાઓ. સૂતા અગાઉ થોડીવાર સારું પુસ્તક વાંચશો એટલે કોર્ટીસોલ બેલેન્સ થશે અને સારી ઊંઘ આવશે. વાંચવા બદલ આભાર, મુકેશ પટેલ, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.

02/06/2026

છાતીમાં વચ્ચે દુખે છે? ડર્યા વગર એને સમજો.

..... ઉંઘ 8 કલાકની છે પણ, ઊંડી નથી..! ખોરાક સારો ખાઓ છો, કસરત જોરદાર કરો છો પણ, જમતી વખતે અને વ્યાયામ વખતે મન અશાંત હોય ...
01/06/2026

..... ઉંઘ 8 કલાકની છે પણ, ઊંડી નથી..! ખોરાક સારો ખાઓ છો, કસરત જોરદાર કરો છો પણ, જમતી વખતે અને વ્યાયામ વખતે મન અશાંત હોય છે. જીવ ખાવામાં કે કસરતમાં ચોંટતો નથી.
આવું કેમ? તમે જે રેસ્ટોરન્ટમાં જમો છો એનું વધેલું ખાવાનું ફેંકી દેવાય છે; સ્ટાફને મળતું નથી. એ સ્ટાફ ઘેર જઈને રાત્રે મોડા, 4500 રૂપિયા આપીને બ્લેકમાં ખરીદેલ ગેસની મદદથી રાંધીને ખાય છે. આ બોટલ તમે જ બ્લેકમાં વેચો છો..! એ જીવ બાળીને બનાવે એ જ તમે ખાઓ છો..!
ભાઈ, તમારું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ જોરદાર છે. દુબઈમાં ઘર, પાંચ કિલો સોનું, અનેક દુકાનોનું ભાડું આવે. પણ, તમારો સ્ટાફ કારમી ગરીબીથી પીડાય છે. એનો જીવ અશાંત છે, તમારી આસપાસ તમે પેદા કરેલી અશાંતિ છે.
દોસ્તો, આપણા સૌની અંદર એક જ કુદરત કે પરમાત્મા વસે છે. એને બ્લેક, વ્હાઇટ, લાલ, પીળા, કાળા...; બધાં જ રંગો દેખાય છે. કેવળ બુદ્ધિથી કે રૂપિયાથી ખરીદીને તંદુરસ્તી નહીં મળે. ત્યાં પણ કર્મનો નિયમ લાગુ પડે છે. આભાર, મુકેશ પટેલ, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.

Gut એટલે એક એવો કરંટ કે જેની શક્તિથી આપણને સારી ઊંઘ આવે છે, દિવસભર સારી રીતે કામ કરી શકીએ છીએ, પ્લાનિંગ કરી શકીએ છીએ. અન...
31/05/2026

Gut એટલે એક એવો કરંટ કે જેની શક્તિથી આપણને સારી ઊંઘ આવે છે, દિવસભર સારી રીતે કામ કરી શકીએ છીએ, પ્લાનિંગ કરી શકીએ છીએ. અને એ જ ગટની તાકાતથી આંતરડામાંથી stool, મળ નીકળે છે. પરંતુ, જો gutની શક્તિ ભૂતકાળ કે ભવિષ્યકાળના વિચારોમાં અટવાઈ જાય તો આપણું પાચન અને ઊંઘ બગડે છે. સરવાળે, સવારે જાગ્યા પછી મજા નથી આવતી. અને, વોશરૂમમાં સ્ટૂલ પાસ કરતી વખતે જોર કરવું પડે, બેસી રહેવું પડે. તોય, સ્ટૂલ બરાબર નીકળતો નથી. મુકેશ પટેલ, એપોઇન્ટમેન્ટ માટે: 7874744676///9913230263, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.

.....નોકરી, વ્યસન અને કોઈનો સાથ; છૂટે પછી સમય અટકી જાય છે. "હવે શું કરવું"..!? અનેક લોકો વ્યસન છોડવાનો પ્રયત્ન તો કરે જ ...
31/05/2026

.....નોકરી, વ્યસન અને કોઈનો સાથ; છૂટે પછી સમય અટકી જાય છે. "હવે શું કરવું"..!? અનેક લોકો વ્યસન છોડવાનો પ્રયત્ન તો કરે જ છે
પરંતુ, "વ્યસન એમને છોડતું નથી..!" મતલબ, એમનું મન વ્યસનમાં ચોંટી જાય છે, મન અને વ્યસન સિક્કાની બાજુઓ બની જાય છે.
વૈજ્ઞાનિક ઇલાજ:(1)... વ્યસન છોડવાની શરૂઆત કરો કે તરત જ, દિવસમાં યાદ આવે ત્યારે સાદા પાણીના કોગળા કરતા રહો, (2)... જેઠીમધ(yasthimadhu wati)ની એક એક ગોળી, સવાર, બપોર, સાંજ ચૂસો,(3)...ધારો કે 10 મસાલા ખાઓ છો તો ખરીદો તો દસ જ પરંતુ, દસ દિવસ સુધી દરરોજ એક મસાલાને ફેંકી જ દો. દસ દિવસ બાદ પણ, ખરીદવાના તો દસ જ મસાલા પણ હવેથી દરરોજ બે મસાલાને ફેકો. આ રીતે 50 દિવસ કરશો એટલે તમે પાંચ મસાલા પર આવી જશો. એ પછી પાંચ મહિના શાંતિથી "પાંચ" મસાલાથી તમારા મગજને ટેવાવા દો, (4)... હવે આગળનો નિર્ણય તમારી બુદ્ધિથી જ કરો. કેમ કે, તમાકુ પણ તમે તમારી જ બુદ્ધિથી શરૂ કરેલી..! અને, દરરોજ કોગળા કરવાનું ના ભૂલતા.
એક જુના સમાચાર જોઈએ: "(05/10/2010, સૌજન્ય અને સાભાર: દિવ્ય ભાસ્કર) મેલબોર્ન: ધુમ્રપાનની કુટેવ છોડવા માટે champix(ચેમ્પિકસ) નામની દવા લીધા પછી એની આડઅસરમાં આપઘાત કરવાની ઇચ્છા થઈ શકે છે. એકલાં ઓસ્ટ્રેલિયામાં આ દવા ખાઈને 15 લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે. ઉપરાંત અસંખ્ય એવા લોકો છે કે જેમને આ દવા લીધા બાદ મરવાના જ વિચારો આવતા રહેતા જેમાંથી એમને સમજાવીને બહાર કઢાયા.
2008 માં બનેલી આ દવા પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉભી થઈ હોવા છતાં સરકારે હજુ સુધી એની સામે કોઈ પગલા લીધા નથી. હકીકતમાં આ દવા ધુમ્રપાન કરનાર વ્યક્તિનો મૂડ બદલી નાખે છે. ડિપ્રેશન, તણાવ, ચીડિયાપણું જેવા લક્ષણો પણ વ્યક્તિમાં ઘર કરી જાય છે..."
દોસ્તો, તમાકુ કે વ્યસન છૂટ્યા પછી મનને હળવું કઈ રીતે રાખવું? જેમ તમાકુ શરીરમાં જાય એની થોડીક સેકન્ડોમાં એની અસર શરૂ થઈ જાય છે એમ જ, અનુલોમ-વિલોમ જેવો સાદો લાગતો પ્રાણાયામ પણ, સવારે અને સાંજે દસ દસ મિનિટ કરાય તો એની અસર પણ ઘણી ઝડપથી મગજના ન્યૂરોન્સ ઉપર થાય છે. અહીં મેં એનો વિડીયો અગાઉ મુકેલો જ છે. એ સિવાય, ૐકારને પણ સવાર સાંજ 10--10 મિનિટ કરાય તો મગજ તરબતર થવા લાગે છે.
સમજદાર લોકોએ "શું છોડવું અને શું પકડવું" એ કેટલા જન્મો સુધી કોઈ સમજાવ્યા કરશે? વાંચવા બદલ આભાર, મુકેશ પટેલ, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.

30/05/2026

મૃત્યુનનાં મુખમાંથી, છેલ્લી ઘડીએ દર્દી કઈ રીતે બચી ગયા..!?

Address

Nihar Aarogya Mandir, 7, Samadhan Soc. , Ranip
Ahmedabad
382480

Opening Hours

Monday 9:30am - 6:30pm
Tuesday 9:30am - 6:30pm
Wednesday 9:30am - 6:30pm
Thursday 9:30am - 6:30pm
Friday 9:30am - 6:30pm
Saturday 9:30am - 6:30pm

Telephone

+919913230263

Website

https://www.youtube.com/@NiharNatureCure

Alerts

Be the first to know and let us send you an email when Mukesh Patel Health Immunity Natural Science posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mukesh Patel Health Immunity Natural Science:

Share