07/06/2026
.....હું અને તમે એટલે ગટરનાં ચમકતા ઢાંકણાઓ.
એકબીજાને જોઈને રાજી રાજી, એમાંય, જો ઢાંકણને સારી ભાષા, સારા કપડાં અને મેકઅપથી શણગારવામાં આવે એટલે તો ભાઈ ભાઈ..!, આપણે તો રાજીના રેડ. વાહ, શું ઢાંકણ છે..!
પણ, જેવું ઢાંકણ ખૂલે કે અંદર તો ગંધ, દુર્ગંધ અને સદીઓથી જામેલી ગંદકી, કાદવ, ઇર્ષા, બળતરા, અભિમાન, આગળ નીકળી જવાની, ભાવના, હું અને મારું. ... ...
આનો ઉપાય? છે, પાક્કો ઉપાય છે. "મન" નામનાં શેતાન સાથે લડીને સવારે એક કલાક ઊંડા શ્વાસ, પ્રાણાયામ અને ધ્યાનથી શરૂઆત કરાય. આ પહેલું પગથિયું જ અતિ મુશ્કેલ છે. સદીઓની આળસ, કંટાળો અને થાક. સૌથી વધુ થાક વિચારોનો હોય છે.
પરંતુ, એક વાર મનનું ઢાંકણ ખોલશો પછી, આપણાં સૌની અંદર રહેલી આત્માની શક્તિ બહાર આવવા માંડશે. જ્યારે સમય મળે ત્યારે; સવારે, સાંજે, રાત્રે સૂતા અગાઉ કે ઊંઘ ઊડી જાય ત્યારે પણ ધ્યાન અને પ્રાણાયામથી આ મન નામનું ઢાંકણ ખોલી અને સફાઈ શરૂ કરી શકાય છે. સફાઈ પણ થાય છે અને અંદર ઊંડાણમાં રહેલ શક્તિનો ખજાનો બહાર આવવા માંડે છે.
દોસ્તો, અહીં મારો અંગત અનુભવ જ આપને આપતો રહું છું. વહેલા ઊઠવું અઘરું છે. અને એનાથી અઘરું એ "મન"ને બાજુમાં રાખી અને પ્રાણાયામ તેમ જ ધ્યાન કરવા એ છે. પરંતુ, સતત પ્રયત્નથી તમે શક્તિનો ખજાનો ચોક્કસ મેળવશો. એકવાર થોડાક દિવસો સુધી આ કરશો એટલે ધીરે ધીરે તમારા જીવનમાંથી "આળસ" અને "થાક" ઘટતા જશે. આ બે જાય એટલે એની પાછળ પાછળ ઘણીબધી ગંદકી પણ ઓછી થતી જશે. વાંચવા બદલ આભાર, મુકેશ પટેલ, અપોઈન્ટમેન્ટ માટે: ,7874744676///9913230263, નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદ.