01/09/2026
એલોવેરામાં વિટામિન એ, સી, બી12 સહિત ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ખૂબ જ ફાયદાકારક ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે.
આપણા શરીરને 21 એમિનો એસિડની જરૂર હોય છે. જેમાંથી 18 એમિનો એસિડ માત્ર એલોવેરામાંથી મળી શકે છે. એલોવેરા 5,000 વર્ષ જુની રામબાણ ઔષધી છે. જેની લગભગ 250 જેટલી પ્રજાતિઓ છે. આ પ્રજાતિઓમાંથી એક સૌથી વધારે પ્રભાવશાળી છે, તે છે બાર્બાડેન્સીસ મીલર.
એલોવેરા જ્યૂસમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. જે શરીરની મોટાભાગની બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે અને શરીરની ઈમ્યૂનિટી પણ વધારે છે. આ સિવાય સ્કિન માટે પણ એલોવેરા બહુ જ લાભકારી છે. રોજ 200-300 મિલી. એલોવેરા જ્યૂસ પીવું. બોડી ડિટોક્સિફિકેશન નું કામ ખુબ સરળ થઈ જશે.
એક ચમચી એલોવેરા જેલ અને એક ચમચી મધ
મિક્ષ કરી ને તેમાં એક ચમચી કેળાની પેસ્ટ અને
એક ચમચી લીંબુનો રસ ઉમેરી પેસ્ટ બનાવી માથા પર 10 મિનિટ લગાવી રાખવી અને પછી માથું ધોઈ લેવું.. હેર સ્પા થઈ જશે
ચામડી ના દરેક પ્રકાર ના રોગ પે એલોવેરા રાહત આપેછે
નોંધ :- એલોવેરા ની માર્કેટ માં 95 ટકા પ્યોર જેલ લગભગ બધાજ મેડિકલ સ્ટોર્સ માં ઉપલબ્ધ હોય છે એ એક ડબ્બી લઈ ને ઘરે રાખવી જે નાની ઇજાઓ અને દાઝયા પર લગાડવા માટે ઇમરજન્સી માં કામ લાગી શકે છે
ડો.સુરેશ સાવજ
સુરત